આનંદ
લાલપુરાના મકાનમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ઘરવખરી બહાર કાઢી લેતા બચી, જાનહાનિ ટળી
લાલપુરાના મકાનમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ઘરવખરી બહાર કાઢી લેતા બચી, જાનહાનિ ટળી
આક્લાવ તાલુકાના લાલપુરા ગામે કોસિન્દ્રા માર્ગ પર આવેલા એક મકાનમાં બપોરે અચાનક મકાન ઉપર મુકેલા પૂળામાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચીહતી.
આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આક્લાવના લાલપુરા ગામે કોસિન્દ્રા માર્ગ પર આવેલા મેલડી માતાના મંદિર પાસે ભયભાઈ તખતભાઈ પઢીયાર રહે છે.તેમના મકાનમાં બપોરે અચાનક મકાન ઉપર મુકેલા પૂળામાં આગ લાગી હતી. એ સમયે પરિવારજનો નીચે જ હતા. જોકે, આ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. બીજી તરફ પરિવારજનો દ્વારા તુરંત જ તમામ ઘરવખરી બહાર કાઢી લીધી હતી અને બોરસદ ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવમાં કોઈ જાનહાનિથઈનહોતી.